Home News મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ...

મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ પક્ષને નિશાન બનાવ્યું

Face Of Nation 18-04-2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ જયારે મહિલા અનામત બિલ પાસ કરાવવા વિપક્ષને વિનંતી કરી હતી, તેવામાં બિલ પાસ ન થતા મોદીનું નિવેદન જરૂરી હતું. જેથી આ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારની રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. જેમાં મહિલા અનામત બિલ પાસ ન થવા બદલ વિપક્ષ ઉપર આક્ષેપો કર્યા હતા. ફેસ ઓફ નેશન દ્વારા અગાઉથી જ કહી દેવામાં આવ્યું હતું  કે, મહિલા અનામત બિલ અંગે નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે અને વિપક્ષના માથે દોષનો ટોપલો ઢોળી ચૂંટણીમાં રાજકીય મુદ્દો બનાવશે. મોદીએ કરેલા સંબોધનનો મુખ્ય વિષય મહિલા અનામત બિલ હતું. જેમાં કોંગ્રેસ સહિતના વિપક્ષને ઘેરીને આસામ, કેરળ, બંગાળ સહિતના રાજ્યોમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી આક્ષેપો કરવામાં આવ્યા હતા. મોદીના શાસન બાદ પ્રથમવાર લોકસભામાં મહિલા અનામત બિલ ભાજપ સરકાર પાસ કરાવવામાં નિષ્ફ્ળ રહી છે. ગુજરાતની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે આજથી જ તેમના નિવેદનમાં આ મામલાને મુદ્દો બનાવવાની શરૂઆત કરી દીધી છે. માતાઓ બહેનોને ટાર્ગેટ કરીને નરેન્દ્ર મોદી ભાજપ માટે એક સોફ્ટ કોર્નર ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.
આસામ, કેરળ, તમિલનાડુ, બંગાળ અને પોન્ડુચેરી સહિતના રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજશે તેવામાં આ ચૂંટણીમાં રાજકીય મુદ્દે વિપક્ષોને ઘેરવા માટે ભાજપ મહિલા અનામત આરક્ષણ બિલને મુદ્દો બનાવીને રજૂ કરવા માંગે છે. ભાજપ દરેક ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવા અવનવા મુદ્દાઓ લાવે છે અને તે મુદ્દાઓથી જ વિપક્ષનો ઘેરાવો કરે છે. આ વખતે વધુ એક વાર મોદી વિપક્ષનો ઘેરાવો મહિલા અનામત બિલ દ્વારા કરશે અને તેને લઈને તેઓ રાષ્ટ્જોગ સંબોધન કરવાના હોવાની માહિતી મળી છે. આ રાષ્ટ્રજોગ સંબોધનમાં તેઓ એકાદ બે નવા મુદ્દાઓ પણ લાવે તેવી શક્યતા છે.
શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મું સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. અગાઉથી જ ભાજપને ખબર હતી કે તેઓ આ બિલ લોકસભામાં પસાર કરાવી શકે તેવી સ્થિતિ નથી પરંતુ ચૂંટણીનો રાજકિય લાભ ખટકવા આખું સમગ્ર આયોજન એક રાજનીતિક પ્લાનિંગથી રજૂ કરવામાં આવ્યું છે. જેને મુદ્દો બનાવીને પ્રજા વચ્ચે જઈ શકાય અને પ્રજાના માનસપટ ઉપરથી અત્યાર સુધીની કામગીરીના હિસાબના મુદ્દા ઉપર પડદો પાડી દેવાય.
21 કલાકની ચર્ચા બાદ લોકસભામાં બિલ ઉપર મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતો ખૂટતા પસાર થતા અટકી ગયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો

30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !