Home About Us

About Us

“ફેસ ઓફ નેશન” : અખબારની શરૂઆત માટે આ નામ જયારે પસંદ કરવામાં આવ્યું ત્યારે ખબર નહોતી કે તે લોકોમાં એટલી હદે લોકપ્રિય બની જશે કે દર સોમવારે તેની આતુરતા પૂર્વક રાહ જોવામાં આવશે. એ વાતથી પણ અમે અજાણ હતા કે ખુબ જ ટૂંકા ગાળામાં ફેસ ઓફ નેશન અખબાર પ્રજા વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની જશે. હા ! અમારા પ્રયાસો ચોક્કસ એવા હતા કે, લોકોમાં લોકપ્રિય બનવું.
જેમણે “ફેસ ઓફ નેશન” નામની પસંદગી કરી છે તેઓના માટે ફેસ ઓફ નેશન ગ્રુપ હંમેશા ઋણી રહેશે, ફેસ ઓફ નેશન નામ માત્રથી મળતી તમામ સફળતા સૌ પ્રથમ તેમના શીરે તેમના નામે રહેશે. પહેલેથી જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અઠવાડિયાના દર સોમવારે આ અખબાર લોકો સમક્ષ પ્રકાશિત કરવામાં આવશે. આજે આ નામ સનસનીખેજ સમાચારનો પર્યાય બની ગયું છે. દેશ અને દુનિયા તથા ગુજરાત રાજ્યના સનસનીખેજ સમાચારો નીડરતાથી રજૂ કરવા માટે વર્ષ 2013થી ફેસ ઓફ નેશન અખબારની શરૂઆત કરવામાં આવી હતી. સીધી વાત,ચોખ્ખી વાત અને નિર્ભય અવાજ આ મંત્ર અખબારની શરૂઆતથી જ નક્કી કરવામાં આવ્યો હતો. ગમે તેવી પરિસ્થિતિ સામે આવે કે ગમે તેવા અવરોધો આવે, આ તમામ વચ્ચે કોઈપણ સંજોગોમાં પ્રજા સુધી સનસનીખેજ અને સત્ય સમાચાર પહોંચાડવા એ અમારો લક્ષયાંક છે. ફેસ ઓફ નેશન સમાચારપત્ર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી ખુબ જ ટૂંકા સમયગાળામાં લોકપ્રિય બનીને લોકોના પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે. સમયાંતરે સચ્ચાઈ લખવા બદલ અખબાર વિરુદ્ધ કેટલાક લોકોએ, સરકારી બાબુઓએ, સત્તાધારી નેતાઓએ આક્ષેપો કરીને ખોટા કેસો કરીને દબાવવાના પણ ભરપૂર પ્રયાસ કર્યા છે છતાં ફેસ ઓફ નેશન ક્યારેય કોઈના દબાણમાં આવ્યું નથી. કોઈ પણ સંજોગો કેમ ન હોય, કોઈ પણ નેતા કે અધિકારી કેમ ન હોય, ક્યારેય ફેસ ઓફ નેશન ઝૂક્યું નથી કે ઝુકશે પણ નહીં. પ્રજા સાથે સતત સમાચારની આપ લે થકી સંપર્કમાં રહેવા ફેસ ઓફ નેશન હંમેશા કટિબદ્ધ રહ્યું છે ત્યારે વર્ષ 2014માં ફેસ ઓફ નેશન ગ્રુપ દ્વારા સમાચારના માધ્યમથી સોશિયલ પ્લેટફોર્મ થકી લોકો સુધી પહોંચવા માટે વેબસાઇટની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ વેબસાઈટને ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી સ્થિત રહેલા ચૂંદડીવાળા માતાજીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ તેનું રિલૉન્ચિંગ વર્ષ 2017માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું. પ્રજાને હંમેશા કંઈક નવું આપવા કટિબદ્ધ રહેલા ફેસ ઓફ નેશન ગ્રુપ દ્વારા ફરી એક વાર નવા રૂપરંગ સાથે “www.faceofnation.news”ને લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. પબ્લીશર ધવલ પટેલના નેતૃત્વમાં સતત ફેસ ઓફ નેશન ગ્રુપે પ્રજામાં લોકપ્રિય બનવાના અથાગ પ્રયાસો કર્યા છે, ધારદાર સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે. અંબાજી મંદિરમાં ધર્મની નામે ચાલતા કેટલાક કૌભાંડો ઉઘાડા પાડીને લોકોને અચંબામાં મૂકી દીધા હતા. જો કે આવનાર સમયમાં દરેક ગુજરાતીઓના મોબાઈલમાં સોશિયલ પથ થકી અમે તટસ્થ અને નિષ્પક્ષ સમાચાર નીડરતાથી પહોંચાડીશું તેવી અમોને આશા છે. ફેસ ઓફ નેશન ગ્રુપ હંમેશા તેની સમાચારની તટસ્થતા જાળવી રાખવાના પ્રયાસો કરશે અને નીડરતાથી સમાચારો રજૂ કરશે. હંમેશા પ્રજાનો જે અદભુત આવકાર મળતો રહ્યો છે તે વેબસાઈટના માધ્યમ થકી પણ મળતો રહેશે તેવી આશા,..