Home Uncategorized દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે : સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ...

દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે : સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

Face Of Nation 09-05-2026 : ગુજરાતના અનેક શહેરોમાં ડ્રગ્સનું વ્યસન વધતું જઈ રહ્યું છે. આ વ્યસનને કારણે હાલ દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે છે. એરપોર્ટ દ્વારા કે જહાજ મારફતે અનેકવાર ડ્રગ્સના મોટા જથ્થાઓ ઘુસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થાય છે તેમ છતાં તે અટકવાનું નામ નથી લઇ રહ્યું. સુરત એરપોર્ટ ઉપરથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં આવેલો 2.80 કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. એજન્સીઓ દ્વારા આ મામલે એક વ્યક્તિની અટકાયત કરીને તેની પૂરછપરછ કરવામાં આવી રહી છે.
સુરત એરપોર્ટ પર આજે વહેલી સવારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુપ્ત માહિતીના આધારે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતા એક શંકાસ્પદ મુસાફર મળી આવ્યો હતો. આ મુસાફરની તપાસ કરતા તેના સામાનમાંથી નશીલો પદાર્થ મળી આવતા એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી.
DRIની તપાસ દરમિયાન મુસાફર પાસેથી અંદાજિત 8.600 કિલો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. આ પદાર્થ સામાન્ય ગાંજા કરતા વધુ ઘાતક અને મોંઘો હોવાનું જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા માદક પદાર્થની કિંમત અંદાજે ₹2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation અમારું ઇન્સ્ટાગ્રામ ID : https://www.instagram.com/faceofnationnews?igsh=M2M0am45cnAxenZi).

VIDEO : ભગવાનો ભોગ-વિલાસ ! : કાલુપુર તાબાના કાંકરિયા સ્વા. મંદિરના મહંતનો વૈભવી બંગ્લો

ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી ઉતારાઈ !

“તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી સૈયદની જાળીમાં વીંટીઓ વહેંચતા હોત” : સ્વા. સંપ્રદાયના આચાર્ય

હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય