Face Of Nation 16-04-2026 : સત્તા માટે નફ્ફટ બેશરમ લોકોએ રીતસર લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા હોવાનું ચિત્ર બુધવારે તારીખ 15/04/2026ના રોજ સમગ્ર દેશને જોવા મળ્યું છે. ભાજપે મર્યાદાઓ નેવે મૂકીને ખુબ જ નબળી કક્ષાનું રાજકારણ રમ્યું છે. પ્રજાનો રોષ પારખી ગયેલા સત્તાધીશોએ મોટાભાગની સીટો ઉપર બિનહરીફનો દાવ ખેલ્યો છે. જેમાં શામ, દામ અને દંડનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મારામારીથી લઈને અપહરણ સુધીના કિસ્સાઓ સમગ્ર દિવસ દરમ્યાન પ્રકાશમાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને તોડવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોને શામ,દામ અને દંડ વાપરીને ફોર્મ પરત ખેંચાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
ભાજપના રાજકારણે ખરેખર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. પ્રજાનો આક્રોશ અને હાર ભાળી ગયેલી ભાજપે ચૂંટણીમાં એવો તમાશો કર્યો છે કે, લોકો આશ્વર્યચકિત થઇ ગયા છે. આ તમામ કામગીરી સામે ચૂંટણી પંચની ચુપકીદી ખરેખર તટસ્થતા સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યું છે. સરકારી અધિકારીઓએ પણ સત્તાધારી પાર્ટી ભાજપના ઈશારે કામકાજ કરવામાં કશું બાકી રાખ્યું નથી. તમામ મર્યાદાઓ નેવે મૂકીને એટલી નીચલી કક્ષાની રાજનીતિ કરવામાં આવી છે જે કદાચ રાજ્યના ઇતિહાસમાં નોંધાય તેમ છે. ટપોટપ અનેક ઉમેદવારોના ફોર્મ રદ્દ થવા લાગ્યા, અનેક ઉમેદવારોએ સામેથી ફોર્મ રદ્દ કર્યા.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જનતા વચ્ચે જઈ શકતા નથી. પ્રજા જાકારો આપી રહી છે જેથી સામ,દામ,દંડ,ભેદ અપનાવી ચૂંટણી લડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉમેદવારોને ડરાવી ધમકાવી અને ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે. ઉમરગામમાં એક ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલું બધું દબાણ કર્યું કે ચૂંટણી અધિકારીએ જ આત્મહત્યા કરવી પડી છે. આ ઘટનાએ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચાલુ વર્ષે એટલે કે તાજેતરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ઘણા ફોર્મ પાછા ખેંચાયા છે અને ભાજપના ઉમેદવારો બિન હરીફ જીત મેળવી છે. કેટલાય ઉમેદવારોએ છેલ્લી ઘડીએ નાટકો શરૂ કર્યા અને રાજકીય પક્ષોને મુશ્કેલીમાં મૂકી દીધા. કેટલાકે વિરોધી સાથે સેટિંગ કરીને ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું. અનેક જુદા જુદા કારણો સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપને “બિનહરીફ” સત્તા મળી છે. આવા વિસ્તારોમાં ચૂંટણી વિના ભાજપના ઉમેદવારોને જીત મળી ગઈ છે.
પ્રજાનો રોષ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા કોઈ વિકલ્પ ન બચતા અંતિમ વિકલ્પ એવું “બિન હરીફ” નામનું હથિયાર ઉગામવામાં આવી રહ્યું છે. જેનાથી મતદાર મતદાનથી વંચિત રહે અને ઉમેદવારને વગર મહેનત કે મતદાન વિના જીત મળી જાય. આ વિકલ્પ એવો છે કે જેમાં પ્રજાને ભૈસાબ બાપા કરવાની કે હાથ જોડીને મતદાન કરવા અપીલ કરવાની જરૂર પડતી નથી. ઘણી સીટો ઉપર અંદરો અંદર સેટિંગ કરીને તો ઘણી સીટો ઉપર ફોર્મ ભરવામાં ભૂલ થવાને કારણે જે તે રાજકીય પક્ષના ઉમેદવારને “બિન હરીફ” વિજેતા થવાનો લાભ મળે છે. આવા વિસ્તારોમાં મતદાન થતું નથી અને પ્રજાના પ્રશ્નો બદલ પ્રજાને મતદાન થકી તેમનો રોષ દેખાડવાનો હક્ક પણ મળતો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
પાખંડી રામ સ્વામીને સ્થાને જીગ્નેશ દાદા અમેરિકામાં કથા કરશે : સ્વામી. કાલપુર સંપ્રદાય “દાદા”ને શરણે



