Home Uncategorized ધાર્મિક લાગણી નથી દુભાતી ? : ભાજપીઓ અને પોલીસને લાડવાનો ભોગ ધરાવતા...

ધાર્મિક લાગણી નથી દુભાતી ? : ભાજપીઓ અને પોલીસને લાડવાનો ભોગ ધરાવતા સાધુઓ સામે કેમ પોલીસ ફરીયાદ નહીં ?

Face Of Nation 14-09-2023 : ગુજરાતમાં જો કોઈ ધર્મ વિરુદ્ધ કે ધર્મને ન છાજે તેવો વાણી વિલાસ કરે તો તેની સામે તુરંત જ ક્રાઇમ બ્રાન્ચના કહેવાતા બાહોશ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ દાખલ કરીને જે તે વ્યક્તિની ધરપકડ કરી લે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુદા જુદા સાધુઓ દ્વારા હિન્દૂ ધર્મના દેવી દેવતાઓનું બેફામ વાણીવિલાસ કરીને અપમાન કરીને હિન્દૂ ધર્મના ધજાગરા ઉડાડવામાં આવતા હોવા છતાં કે હિન્દૂ ધર્મની લાગણી દુભાવવામાં આવતી હોવા છતાં કોઈ માઈનો લાલ પોલીસ અધિકારી આ સાધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની હિંમત ધરાવતો નથી ? તે પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે, સાથે જ ભાજપના બાહોશ નેતાઓ કે જેઓ કાંઈ પણ હોય તો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવેના નિવેદનો કરતા અત્યારે કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બેફામ બફાટ સામે બકરી બનીને બેઠા છે ? કેમ કોઈ નેતા આ સાધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરતા નથી કે કેમ કોઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કે અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ ફરિયાદ નોંધતા નથી.
લોકશાહીમાં કાયદાને લઈને બેવડી નીતિ ક્યારેય ન હોવી જોઈએ. જો કોઈ આમ નાગરિક કોઈ ધર્મ કે સંપ્રદાય વિરુદ્ધ બોલે તો તેની સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને જો કોઈ સાધુ બોલે તો તેની વિરુદ્ધ કોઈ ગુનો ન નોંધાય તે યોગ્ય ક્યારેય નથી. છેલ્લા ઘણા સમયથી હિન્દૂ દેવી દેવતાઓના અપમાન અને હિન્દૂ દેવી દેવતાઓ વિરુદ્ધ બેફામ બોલનાર સાધુઓના વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમ છતાં આવા કહેવાતા સાધુઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તે કાયદાના ધજાગરા ઉડાડનાર બાબત છે. નેતાઓ અને પોલીસ અધિકારીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પેટ ભરીને લાડવાનો ભોગ ધરાવે છે અને તે લડવાના ભૂખ્યા નેતાઓ કે પોલીસ અધિકારીઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરીને પોતાનો લાડવાનો ભોગ બંધ કરવા માંગતા નથી. તેમના માટે કાયદા કરતા લાડવા વધુ કિંમતી છે. જો તેમને માટે કાયદો જ મહત્વનો હોત તો આજદિન સુધી બેફામ બોલનારા ભગવાધારી લંપટો ઉપર પોલીસ ફરિયાદ નોંધાઇને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હોત. પરંતુ ભારત દેશની અને ભારતીયોની આ કમનસીબી છે કે અહીં લંપટો બેફામ વાણીવિલાસ કરીને રાજ કરે છે અને સામાન્ય નાગરિકો કાયદાના નામે દંડાય છે.
જો કોઈ પત્રકાર કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની નગ્ન સેલ્ફી કાંડની લીલા લખે કે સાધુઓના સેક્સ સ્કેન્ડલ લખે તો ભગવાધારી લંપટોના ઈશારે ભાજપ નેતાઓના આદેશથી ક્રાઇમ બ્રાન્ચ ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ નોંધીને જે તે પત્રકાર કે લખનારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દે અને સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા લંપટ સાધુઓ આ ક્રાઈમબ્રાન્ચમાં લાડવાના બોક્સો વહેંચે પણ જયારે ખુદ લંપટ સાધુઓ જ હિન્દૂ ધર્મ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કે નેતાઓ મૌન બની જાય છે તે કેટલું યોગ્ય છે ? જો કોઈ હિન્દૂ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ બોલે તો પોલીસ ખુદ ફરિયાદી બનીને તેની ધરપકડ કરી લે અને હવે જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ બોલે છે ત્યારે કોઈ કાયદો તેમની વિરુદ્ધ લાગુ નથી પડતો ?
સ્વામિનારાયણ સંપ્રદાયની આડમાં ગાડીઓને વૈભવી જીવનશૈલી જીવનારા ભગવાધારીઓ કોઈ ખરા અર્થમાં સાધુતાને સાર્થક કરતા નથી તેઓ માત્ર તેમનો એકડો સાચો અને બીજાના ખોટા તેમ કહીને લોકોની માનસિકતા સાથે રમત રમે છે અને બેફામ બનીને હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરતા હિંદુઓ સામે જાણે કે, અટ્ટહાસ્ય કરે છે કે, “અલ્યા મૂર્ખ હિંદુઓ અમે તમારા દેવી દેવતાઓનું અપમાન કરીએ છીએ તો પણ તમે આમારા જ અનુયાયી બનીને અમારી ભક્તિ કરી રહ્યા છો” આ લેખ કોઈ જાતિ કે ધર્મને ભડકાવવાનો નથી પરંતુ કાયદાના નામે થતા પક્ષપાત વિરુદ્ધ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને સેક્સ કાંડ આવે છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કેમ રોષે નથી ભરાતા ?