Home News ચારધામ યાત્રાના નિયમો બદલાયા : 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો...

ચારધામ યાત્રાના નિયમો બદલાયા : 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્યની તપાસ કરાશે ફરજિયાત, આ વર્ષે 106ના થયા છે મૃત્યુ!

Face Of Nation 31-05-2022 : ઉત્તરાખંડ સરકારે હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમો 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ પડશે. 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્યની તપાસ ફરજિયાત કરવામાં આવી છે. જે યાત્રાળુ આ તપાસ દરમિયાન અનફિટ જણાશે કે વધુ નબળાઈ દેખાશે તો તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવશે. આ વર્ષે યાત્રાળુઓનો મોતનો આંકડો વધી રહ્યો હોવાથી આ નિર્ણય લેવાયો છે. કારણે આ વર્ષે ચારધામની યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 106 લોકોના મૃત્યુ પામ્યા છે. ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યાર સુધીમાં કેદારનાથમાં 50, બદ્રીનાથ ધામમાં 21, ગંગોત્રીમાં 7 અને યમુનોત્રીમાં 28 યાત્રાળુઓના મોત થયા છે. વર્ષ 2019માં કુલ 90 યાત્રાળુઓના મોત થાય છે અને વર્ષ 2018માં 102 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).