Home Gujarat નારણપુરામાં જયમંગલ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈકેરની હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી...

નારણપુરામાં જયમંગલ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈકેરની હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ, દુર્ઘટનામાં પતિ-પત્નીનાં મોત!

Face Of Nation 31-12-2022 : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેરની હોસ્પમાં આગ લાગી છે. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હોસ્પિટલમાં બેના મોત થયા છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી (ઉ.વ 25), પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું ગૂંગળામણથી મોત થયું છે. નારણપુરામાં જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે, આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).