Home Gujarat શોકમગ્ન વડનગર; હીરાબાના નિધનને લઈ વડનગરમાં બજારો બંધ રાખી વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી

શોકમગ્ન વડનગર; હીરાબાના નિધનને લઈ વડનગરમાં બજારો બંધ રાખી વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપી

Face Of Nation 30-12-2022 : હીરાબાના નિધનને લઈ વડનગર શોકમગ્ન છે. વડનગરના વેપારીઓ હીરાબાના નિધનને લઇ સ્વયંભૂ બંધ પાળશે. વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના અવસાનને લઇને નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં પ્રધાનમંત્રી મોદીએ તેમનાં અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર-30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આજે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. એને લઇને આજે વડનગરમાં બંધ પાળવામાં આવ્યો છે. હીરાબાએ અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ ગાંધીનગર સ્થિત રાયસણ ખાતે હીરાબાની અંતિમવિધિ કરવામાં આવી હતી. તો બીજીતરફ હીરા બાના નિધન પર તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરાબાના પિયર પક્ષના અને સાસરી પક્ષના સ્વજનો હાજર છે. તમામ સ્વજનો સ્તુતિ કરીને હીરાબાને અંતિમવિદાય આપી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).