Home Gujarat ગુજરાતમાં 44 દિવસ બાદ દૈનિક મોતના આંકડો 2 પર પહોંચ્યો, અમદાવાદમાં 102...

ગુજરાતમાં 44 દિવસ બાદ દૈનિક મોતના આંકડો 2 પર પહોંચ્યો, અમદાવાદમાં 102 નવા કેસ

Face Of Nation 26-02-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં દૈનિક મૃત્યુ આંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 44 દિવસ બાદ દૈનિક મૃત્યુ આંક 2 થયો છે. છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. તો આજે 491 દર્દી સાજા થયા છે . રાજ્યમાં 2 લોકોના મોત થયાં છે. તે પણ માત્ર વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં. અગાઉ 14 જાન્યુઆરીએ 2 દર્દીના મોત થયા હતા. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.92 ટકા થઈ ગયો છે.
23 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 349ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 926 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 9 હજાર 148 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 275 એક્ટિવ કેસ છે, જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 252 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).