Home Gujarat જગન્નાથજીની 146મી રથયાત્રા પ્રસંગે ગજરાજોનો જોવા મળ્યો દબદબો, ગજરાજોની ઝાંખી જોવા લોકો...

જગન્નાથજીની 146મી રથયાત્રા પ્રસંગે ગજરાજોનો જોવા મળ્યો દબદબો, ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા

Face Of Nation 20-06-2023 : ભગવાન જગન્નથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરે છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા. ભગવાન જગન્નથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રથયાત્રા દરમિયાન 14 હાથી ભગવાનની પાલખીની આગેવાની કરે છે. આ પ્રસંગે ગજરાજોનો દબદબો જોવા મળ્યો હતો. શણગારેલા ગજરાજોની ઝાંખી જોવા લોકો ઉમટ્યા હતા. પરંપરા અનુસાર રથયાત્રામાં હાથીનું એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).