Home Gujarat ગુજરાતમાં ફરી 200થી વધુ કેસ અને બે દર્દીના મોત, 240 કોરોનાના નવા...

ગુજરાતમાં ફરી 200થી વધુ કેસ અને બે દર્દીના મોત, 240 કોરોનાના નવા કેસ સામે 298 દર્દી સાજા થયા!

Face Of Nation 03-09-2022 : આજે ગુજરાતમાં ફરી 200થી વધુ કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 240 નવા કેસ નોંધાયા છે. જ્યારે 298 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર અને આણંદ જિલ્લામાં 1-1 દર્દીનું થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.02 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર 879ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 16 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 58 હજાર 453 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1410 એક્ટિવ કેસ છે, 8 દર્દી વેન્ટિલેટર પર છે અને 1402 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).