Home News ED આજે ​​ફરી સોનિયાની પૂછપરછ કરશે : સોનિયા ગાંધીએ કહ્યું- મોતીલાલ વોરા...

ED આજે ​​ફરી સોનિયાની પૂછપરછ કરશે : સોનિયા ગાંધીએ કહ્યું- મોતીલાલ વોરા લેણ-દેણ સંભાળતા હતા; અત્યાર સુધીમાં 75 સવાલ પૂછાયાં!

Face Of Nation 27-07-2022 : નેશનલ હેરાલ્ડ કેસમાં ED બુધવારે ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. સોનિયાની 21મી જુલાઈએ 3 કલાક અને 26મી જુલાઈએ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયાની પૂછપરછને લઈને કોંગ્રેસ આજે ફરી દેશભરમાં પ્રદર્શન કરશે. તો બીજીતરફ સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસ, એસોસિયેટ જર્નલ અને યંગ ઈન્ડિયન સાથે સંબંધિત તમામ વ્યવહારો ભૂતપૂર્વ ખજાનચી મોતીલાલ વોરા સંભાળતા હતા. ED સૂત્રોએ જણાવ્યું કે 2 દિવસની પૂછપરછમાં સોનિયા ગાંધીને 75 સવાલ પૂછવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 25 જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા.
રાહુલ સહિત 50 સાંસદોની અટકાયત કરી હતી
મંગળવારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના 50 સાંસદોની અટકાયત કરી હતી. સોનિયાની પૂછપરછ પૂરી થયા બાદ આ સાંસદોને છોડી દેવામાં આવ્યા હતા. સંસદ નજીક વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રાહુલે કહ્યું- દેશને પોલીસ સ્ટેટ બનાવી દેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).