Home Gujarat ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 28 નવા કેસ, 20 દર્દીઓ થયા સાજા,...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 28 નવા કેસ, 20 દર્દીઓ થયા સાજા, સતત 22મા દિવસે શૂન્ય મોત, અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા 15 કેસ!

Face Of Nation 29-05-2022 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દી સાજા થયા છે. સતત 22મા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 14 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 9, સુરત શહેરમાં 2, જ્યારે અમદાવાદ જિલ્લા, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ રાજ્યમાં કુલ 28 કેસ નોંધાયા છે. તો આજે 32 જિલ્લા અને 3 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 96ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 971 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 208 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).