Home News સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર : અષાઢી બીજથી ઋતુચક્રને ધ્યાનમાં...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર : અષાઢી બીજથી ઋતુચક્રને ધ્યાનમાં રાખીને માતાની આરતીના સમય બદલવામાં આવ્યા!

Face Of Nation 27-06-2022 : અષાઢી બીજથી અંબાજી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી યાત્રાધામ અંબાજી માતા મંદિરમાં યાત્રિકોને સગવડતાને ધ્યાને રાખી અષાઢી બીજ રથયાત્રા પહેલી (શુક્રવાર) જુલાઈથી આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો બીજીતરફ રથયાત્રામાં મોટી સંખ્યામાં અંબાજી ખાતે માઇભકતો પધારતા હોય છે. જેને ધ્યાને રાખી અંબાજી મંદિર આરતી સવારે 7:30 થી 08:00 કલાક, દર્શન સવારે 08:00 થી 11.30 કલાક, મંદિર મંગળ 11:30 થી 12:00 કલાક, રાજભોગ આરતી 12:00 થી 12:30 કલાક, દર્શન બપોરે 12:30 થી 16:30 કલાક, મંદિર મંગળ 16:30 થી 19:00 કલાક, આરતી સાંજે 19:00 થી 19:30 કલાક, દર્શન સાંજે 19:30 થી 21:00 કલાક રાખવામાં આવ્યા છે. જેથી મા અંબાના દર્શન કરવા આવતા માઈભક્તોને કોઈ અગવડ ના પડે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).