Face Of Nation 07-05-2025 : ભારતીય સેનાએ મધરાતે જ પાકિસ્તાનમાં આતંકી સ્થળોએ હુમલો કરીને 13થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારીને પહેલગાંવ હુમલાનો બદલો લીધો હોવાની માહિતી મળી રહી છે. આ મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થતો હોવાની માહિતી મળી રહી છે. ભારતીય વિમાનોએ પાકિસ્તાનમાં એક મસ્જિદ પણ ઉડાડી દીધી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે, કોટલી, બહાવલપુર, મુરીદકે, બાગ અને મુઝફ્ફરાબાદમાં મધ્યરાત્રિ પછી ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેના બદલામાં બે ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યા છે.
ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે કોટલી, બહાવલપુર, મુરીદકે, બાગ અને મુઝફ્ફરાબાદમાં મધ્યરાત્રિ પછી ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં 3 પાકિસ્તાનીઓ માર્યા ગયા અને 12 ઘાયલ થયા, જેનો જવાબ લશ્કર દ્વારા પહેલેથી જ આપવામાં આવી રહ્યો છે. ડીજી આઈએસપીઆરે જણાવ્યું હતું કે, આ હુમલામાં બહાવલપુરમાં બાળકની હત્યા થઇ છે અને મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. જયારે કોટલીમાં બે નાગરિકોની હત્યા કરવામાં આવી છે અને અનેક લોકો ઘાયલ થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).