Home Exclusive કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીએ કર્યા પ્રેમલગ્ન !, સંપ્રદાયની પરંપરા તૂટી, હરિભક્તોમાં ચર્ચાનો...

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીએ કર્યા પ્રેમલગ્ન !, સંપ્રદાયની પરંપરા તૂટી, હરિભક્તોમાં ચર્ચાનો વિષય

Face of Nation 08-02-2022 : અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ મંદિરના લાલજી એવા વ્રજેન્દ્રપ્રસાદના લગ્નની કંકોત્રી તમામ હરિભક્તોને માસિક અંક મારફતે આપવામાં આવી હતી. આ કંકોત્રી થકી કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સત્સંગીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે થોડા સમય બાદ અગમ્ય કારણોસર લાલજીના લગ્નનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આ અંગે ફરીથી કોઈ પણ પ્રકારનો ખુલાસો સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યો નહોતો. તેવામાં હરિભક્તોમાં લાલજીએ પ્રેમ લગ્ન કરી લીધાની ચર્ચાએ વેગ પકડી લીધો. હાલ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાલજીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાની ચર્ચા મુખ્ય સ્થાને છે.
તારીખ 13/11/2021 થી 28/11/2021 સુધી લાલજીના લગ્નના ભવ્ય સમારંભનું જાહેર નોતરું સંપ્રદાયના માસિક અંક દ્વારા તમામ હરિભક્તોને આપવામાં આવ્યું હતું. જોકે થોડા સમય બાદ આ તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા હોવાની જાહેરાત કરવામાં આવતા હરિભક્તોમાં અનેક ચર્ચાઓ ઉઠી હતી. લાલજીના લગ્ન તૂટી ગયાથી લઈને અન્ય અનેક ચર્ચાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ગણગણાટ શરૂ કરી દીધો છે. તે સમયે એવી પણ ચર્ચાઓ થઇ હતી કે, લાલજીના લગ્ન જે પરિવાર સાથે નિર્ધાર્યા છે તે પરિવારમાં કોઈ મોભીનું મરણ થયું હોવાથી લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા. પરંતુ આખરે એક ચોંકાવનારી માહિતી જાહેરમાં ચર્ચાસ્થાને આવી અને તે હતી કે લાલજીને છેલ્લા ઘણા સમયથી જે છોકરી સાથે પ્રેમ હતો તેની સાથે તેમની જીદને તાબે થઈને પરિવારજનોએ પ્રેમ લગ્ન કરાવી દીધા છે. જો કે આ મામલે સત્તાવાર ખુલાસો કે જાહેરાત કરવામાં આવી નથી. વર્ષો જૂની ચાલી રહેલી પરંપરા લાલજીના પ્રેમ લગ્નબાદ તૂટી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હજુ સુધી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મામલે સત્તાવાર કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
હાલ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદથી માંડીને લાલજી સહીત સંપ્રદાયના સાધુઓ અને ભક્તો અડાલજ કલોલ હાઇવે ઉપર આવેલા જમિયતપુરા ખાતે પર્વ મહોત્સવની તૈયારીમાં લાગી ગયા છે. જો કે આ મહોત્સવમાં સેવા કરવા આવનારાઓ પણ અંદરો અંદર લાલજીના પ્રેમ લગ્નની ચર્ચા કરી રહ્યા છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીના લગ્ન પ્રતાપગઢ ઉત્તરપ્રદેશના રહેવાસી રાકેશ મોહનજી ઉપાધ્યાયની દીકરી સાથે 20/11/2021ના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારંભ અગાઉ સગાઈ વિઘી પણ કરવામાં આવી હતી. જેના ફોટાઓ સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયા હતા. હરિભક્તોને પણ આ લગ્નમાં આવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે આમંત્રણ પત્રિકા સ્વામિનારાયણ સમ્પ્રદાયના માસિક અંક દ્વારા આપવામાં આવી હતી. આ આમંત્રણ પત્રિકા આપ્યાને મહિનો પણ પૂરો થયો નહોતો ને સમગ્ર કાર્યક્રમ રદ્દ કરતી પોસ્ટ પણ વાયરલ થઇ ગઈ હતી. સ્વામિનારાયણ મંદિરના પ્રધાનપંડિત વાસુદેવ ડી. પુરોહિતના નામે આ પોસ્ટ હરિભક્તોમાં વાયરલ કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

વાંચો આવતા અંકે : જુઓ લાલજીના વિદેશી રૂપરંગ એક્સક્લુઝિવ ફોટો દ્વારા

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ આખરે મંદિર લખી આપવાની આચાર્યની જીદ આગળ શરણાગતિ સ્વીકારી

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU