Home Religion ‘હાર્ટ એટેક’: નવસારીમાં ધો-12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા મોત; વિદ્યાર્થીના પરિવારે આંખોનું દાન...

‘હાર્ટ એટેક’: નવસારીમાં ધો-12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા મોત; વિદ્યાર્થીના પરિવારે આંખોનું દાન કર્યુ

Face Of Nation 30-03-2022 : કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના અવસાન ની ખબર સામે આવી છે. જેમાં નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતો શાહ પરિવારનો 18 વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધો-12 કોમર્સ માં અભ્યાસ કરતો હતો. અગ્રવાલ કોલેજમાં આજે તેનું આંકડાશાસ્ત્ર નું પેપર હતું. ત્યારે બપોરે એક વાગ્યાના ના અરસામાં તેના પિતાને તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારની પગ તળે થી જમીન સરકી ગઈ હતી.
ઉત્સવની તબિયત આજે બપોરે લથડી હતી
શહેરમાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવતા મનોજ શાહને પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમાં પુત્ર ઉત્સવની તબિયત આજે બપોરે લથડી હતી અને ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું હૃદય રોગના કારણે અવસાન થતાં પરિવાર સહિત સમગ્ર જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના અવસાન બાદ તેની આંખોને દાન કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).