Home Gujarat ગુજરાતમાં બે દિવસથી કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ સામે...

ગુજરાતમાં બે દિવસથી કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો, 644 નવા કેસ સામે 500 દર્દીઓ સાજા થયા, અમદાવાદમાં સૌથી વધુ 272 કેસ નોંધાયા!

Face Of Nation 18-07-2022 : ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 644 નવા કેસ નોંધાયા છે. જ્યારે 500 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 272 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.73 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 42 હજાર 731ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 954 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 1 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4776 એક્ટિવ કેસ છે, 7 દર્દી વેન્ટિલેટર પર છે અને 4769 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).