Face Of Nation 09-05-2025 : ભારત પાકિસ્તાનના યુદ્ધનો વિરામ આવ્યો છે. હજુ સુધી ભારતમાંથી એવા કોઈ સમાચાર પ્રાપ્ત નથી કે, ભારતીયો રસ્તા ઉપર ઉતર્યા હોય અને ઉજવણી કરી રહ્યા હોય કે, ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. જો કે, હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે અને આ ઉજવણી ભારતને યોગ્ય જવાબ આપવા બદલ થઇ રહી છે.
આશ્ર્યજનક બાબત છે, કે જે અમેરિકાના આદેશ વચ્ચે એકાએક યુદ્ધ વિરામ થઇ જાય છે અને પાકિસ્તાનમાં તેની ઉજવણી શરૂ થાય છે. બીજી બાજુ ભારતમાં કોઈ નેતા આ મામલે જાહેરમાં બોલવા આવતા નથી પણ પાકિસ્તાનમાં તમામ નેતાઓ તેમના નિવેદન આપે છે અને તમામનો જાણે કે એક જ સુર હોય છે કે, પાકિસ્તાને ભારતને મજબૂત જવાબ આપ્યો અને અમેરિકાના આદેશથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું.
ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ નવાઝ શરીફે ભારતીય આક્રમણનો સફળ જવાબ આપવા બદલ પીએમ શહબાઝ શરીફ, COAS જનરલ સૈયદ અસીમ મુનીર, વાયુસેનાના વડા ઝહીર સિદ્ધુ અને પાકિસ્તાનના સશસ્ત્ર દળોની પ્રશંસા અને અભિનંદન પાઠવ્યા. જો કે હજુ સુધી ભારતના વડાપ્રધાનની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. જેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).