Home Uncategorized અમદાવાદમાં વિમાન દુર્ઘટના, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 200થી વધુ લોકોના...

અમદાવાદમાં વિમાન દુર્ઘટના, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 200થી વધુ લોકોના મૃત્યુ, જુઓ Video

Face Of Nation 01-12-2025 : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડવાની ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. પ્લેનમાં સવાર લોકોના લિસ્ટમાં વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. વિજય રૂપાણી સહીત 200થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી ટેકઓફ કર્યા પછી લંડન જવા રવાના થયું હતું. અકસ્માત સ્થળે ધુમાડાના ગોટા જોઈ શકાય છે. અકસ્માત બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. અમિત શાહે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).